No products in the cart.

રાત જો વિતે દિવસ ત્યાં ભાગ્યમાં આવે હવે,
ત્યાં જ જીવનની સફળતા માનવી પામે હવે.
થઇ ગયાં જો સ્વપ્ન મારાં પૂર્ણ ધારેલા કદી,
તો જ નૂતન સ્વપ્ન બીજા આંખમાં આવે હવે.
જો કદી નાવિન્ય મુજ વ્યક્તિત્વમાં આવે પછી,
મુજ હરીફોને કદી એ વાત ના ફાવે હવે.
સદવિચારોથી કર્યું જયાં શાંત આ મનને કદી,
બિનજરૂરી તાણ ‘ને ચિંતા તરત ભાગે હવે.
દ્વેષ, ઈર્ષ્યા કે પછી મનભેદ પણ ના કોઈથી,
જિંદગીને આ નવો આયામ બસ આપે હવે.
જાત સુધરે તો જગત સુધરે સ્વીકારીને જીવો,
વાત નાની છે છતાં પુષ્કળ એ સુખ લાવે હવે.
🖊પૂર્વી શુક્લ